દરબાર ગઢ – ભુજ
December 22, 2007
v દરબાર ગઢ
ભુજ આવતા પ્રવાસીઓનુ મુખ્ય આકર્ષણ છે. ભુજનો દરબાર ગઢ જેમાં પ્રાગમહેલ,ટાવર, આયના મહેલ વગેરે છે.
પાડેસ્વર રોડથી સ્વામીનારયણ મંદિરની પાછળના રસ્તે જતા ડાબી બાજુ દરબારગઢનો દ્રાર આવે છે. તેના સામે ઉભા રહો કે તેના સોંદર્ય કમળની અનુભુતિ થાય છે. ઇતિહાસનુ મુક સાક્ષી આ દરવાજો જયા ભુતકાળમાં પ્રસરેલા સંગીતના સુરો આજે પણ હવા માં ગુંજે છે. તે જાણે બારીઓની આસપાસ થીજી વિવિધ આકાર ધારણ કરી બેઠા છે. દરવાજા પર બન્ને બાજુ પશુ પ્રાણી ગંધર્વ દાસ દાસીઓ પરીઓ તેમની ઉપરની કમાન અને નીચે ની ફુલ વેલની આકૃતિઓ વચ્ચે આનંદ થી વિલસતા દેખાય છે. તેના કઠોળા પણ ઇસ્લામી રજપુત કરાના સંગમ રૂપ ત્રણ દોઢીઓ છે. અંદર પ્રવેશતા ઉપર લાકડાનુ કોતરકામ આંખોને ખેચી રાખે છે.
અંદર આગળવધી ડાબી બાજુ વળો છો અને સામે ઉભો રહે છે. અને ગગનને અનંબવાની આકાંક્ષા રાખતો માનવી પ્રતિભાની ઉતુંગતા દર્શન કરાવતો એક “સામાન્ય” માલમની કળાપ્રીતભાનો નમુનારૂપ ટાવર અને પ્રાગમહલ ઇટાલીયન શૈલીના વીરાટ ટાવર આગળ આપણે એક ક્ષણ વામણાપણુ અનુભવીએ છીએ. પણ બીજી પળે તે જ માનવીની બુધ્ધી પ્રીતભાનુ ભાન કરાવે વછે. વીશાળ પથ્થરોને કસી ટાપટીપ વીના કલાત્મક રીતે ગોઠવી બારીઓ પર સાદા રેખાંકનો અને ઉપર નાના ગોખપર પરથી આપણી દ્રષ્ટિ શીખર તરફ દોરે છે. જમણી બાજુ ચર્ચના મીનારા જેવુ બાંધકામ જેમા નાની દેખાતી બારીઓ તેની શોભા વધારે છે તેના પર ઉભી ભેજની ક્ષીતિજો માપવા જેવી છે. દર ૧૫ મીનીટે સમયની ક્ષણીકતાનુ ભાન કરાવતા ઘડીયારવાળુ ટાવર પોતે કળાની છાતી પર ગૌરવ ભરી મુદ્રાથી ઉભુ છે અને ભવય ભુતકાળને મુંગુ મુંગુ સમરે છે.
બાજુમા મહેલમા પણ વિવિધ રેખાંકનો આકૃતિઓ વગેરેથી દરેક ઓરડા શોભેછે. જાણે જોયાજ કરીએ તેની રેશમી દીવાલો પર જાણે હાથ ફેરવ્યા કરીએ. બારીઓની જાળીઓના ઝીણા રેખાંકનુ કળાની ખુબી વયકત કરે છે. વચ્ચે ડીઝાઇનો ઉપરના અર્ધગોળાકારમાં પ્રાણીઓ મોર વેલ જેવી ડીઝાઇનો પણ કલાકારની સુક્ષ્મ દષ્ટિ અને કુશળતાના દર્શન કરાવે છે. કયાક તો ચાઇનીજ ડ્રેગન જેવા ચહેરાવાળા પાંખવાળા પક્ષીઓ ધ્યાન ખેચે છે.
પ્રાગમહેલની સામેના દરવાજા માથીઅંદર આવીએતો આયના મહેલ છે. પ્રવાસીઓ તે પહેલા જમણી બાજુ બે જાળીઓનુ કોતરકામ આપણને આનંદ વીભોર બનાવી બનાવી જાય છે. અંદર જવાના નક્ષી કામની પુર્વભુમીકા અહી બંધાય છે. કોતરકામ ની નાજુકાઇ સુક્ષ્મતા,સફાઇ આપણા અવ્યકત નિર્વચનની તથા સંપુર્ણ પણે અનુભવી શકાય તેવા છલોછલ આંનંદ ઉત્પન કરે છે.જેમાથી નહાતા નહાતા આપણુ આયના મહેલમાં પહોચીએ છીએ.
તેમા પણ સરસ કોતરકામ નક્ષીકામ વગેરે છે પણ તેના સીતમોલ લાકડાની ગોડવણી નોધનીય છે. બારીઓ પણજોવા જેવી છે. આ દરબારગઢનો સમગ્ર વિસ્તાર સ્થાપત્ય તેની દ્રષ્ટિએ ઘણો દર્શનીય છે. જે રાજાઓ અને કલાકારોની કળાદ્રષ્ટિના સંગમનુ પ્રતિક છે.